Akshaya Patra ફાઉન્ડેશન (TAPF) એ બેંગલોરમાં રજિસ્ટર્ડ જાહેર, સખાવતી, બિનસાંપ્રદાયિક ટ્રસ્ટ છે, ટ્રસ્ટી મંડળમાં ઇસ્કોન બેંગ્લોરના ધર્મપ્રચારકો, કોર્પોરેટ વ્યવસાયિકો અને ઉદ્યોગસાહિસકોનો સમાવેશ થાય છે.
નીચે સંગઠનનું માળખું આપેલું છે, જે સુ-વ્યાખ્યાયિત પ્રક્રિયાઓ મારફતે સંસ્થાને સરળ રીતે કામ કરવામાં મદદ કરે છે.
બોર્ડનું માળખું
Akshaya Patra ખાતે અમે દૃઢપણે માનીએ છીએ કે સુશાસન અને નૈતિકતા એ કોઈપણ બિન-સરકારી સંસ્થાના આવશ્યક પાયા છે. આ માન્યતાને સાર્થક કરવા માટે ફાઉન્ડેશનનું ટ્રસ્ટી મંડળ સંસ્થાનો સારો વહીવટ અને કામગીરી સુનિશ્ચિત કરવામાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે.
ફાઉન્ડેશનના બોર્ડમાં ટ્રસ્ટી મંડળ અને સલાહકાર મંડળનો સમાવેશ થાય છે. અત્યારે ફાઉન્ડેશનના બોર્ડમાં આઠ ટ્રસ્ટીઓ અને સાત પરામર્શકો છે.